સજીવારોપણ અલંકાર | Sajivaropan Alankar

સજીવારોપણ અલંકાર
સજીવારોપણ અલંકાર

→ જ્યારે નિર્જીવને સજીવ માની લેવામાં આવે ત્યારે સજીવારોપણ અલંકાર બને છે.

→ માનવ જેમ માનવ સિવાયનાં પ્રાણી, પક્ષી કે વનસ્પતિને માનવીને જેમ વર્તતા દર્શાવાયા હોય ત્યારે સજીવારોપણ અલંકાર બને છે.

→ જયારે મનુષ્ય સિવાયની અન્ય વસ્તુઓમાં માનવીય ગુણોનું આરોપણ કરવામાં આવે ત્યારે સજીવારોપણ અલંકાર બને છે.



ઉદાહરણ :




  1. પથ્થર થર થર ધ્રુજે
  2. ઘડિયાળના કાંટા પર હાફયા કરે સમય.
  3. હાંફી ગયેલા શ્વાસના પગને તપાસીએ.
  4. સંધ્યા રમે છે ક્ષિતિજે ઉમંગે.
  5. વૃક્ષો ઋતુની રાહ જોતાં રહે છે.
  6. ડુંગરા પરની હરિયાળીએ નવો વેશ લીધો છે.
  7. સડક પણ પડખું ફરીને સૂઈ ગઈ હોય.
  8. ગામના પાદર વીંધીને સડક પહોચી શહેરમાં
  9. રાતો રાત વન પણ પડખું બદલી લે છે.
  10. કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે.
  11. ચાંદો વાદળાંની પાછળ સંતાકૂકડી રમવા લાગ્યો.
  12. લીલ લપાઈ બેઠી જળને તળિયે
  13. ડામર ડમરો થઈને મહેકે


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

Previous Post Next Post